(ચિતવન, કાટમાંડુ, મુક્તિનાથ, પોખરા)
ચિતવન
કાટમાંડુ
મુક્તિનાથ
પોખરા
દિવસ - 1
યાત્રી ઓ ને ગોરખપુર રેલવે સ્ટેશન થી ગોરખપુર મંદિર દર્શન કરાવ્યા બાદ બસ દ્વારા સોનાવલી બોર્ડર લઇ જવામાં આવશે. રાત્રી નિવાસ સોનાવાળી બોર્ડર કરવામાં આવશે.
દિવસ - 2
વહેલી સવારે નાશ્તો કર્યા બાદ યાત્રી ઓ ને બસ દ્વારા સોનાવલી બોર્ડર થી ચિતવન લઇ જવામાં આવશે. ચિતવન સાંજે પહોંચ્યા બાદ જમ્યા પછી યાત્રી ઓ માટે સ્થાનીય કલચરલ પ્રોગ્રામ નું આયોજન રાખવામાં આવેલું છે. રાત્રી નિવાસ ચિતવન માં રહેશે.
દિવસ - 3
સવારે નાશ્તો કર્યા બાદ યાત્રી ઓ એ ચિતવન જંગલ સફારી માટે હાથી અથવા જીપ દ્વારા સ્વખર્ચે જવાનું રહેશે. બપોરે જમ્યા બાદ ચિતવન માર્કેટ માં શોપીંગ માટે જય શકે છે. રાત્રી નિવાસ ચિતવન માં રહેશે.
દિવસ - 4
વહેલી સવારે 7:00 વાગે નાશ્તો કર્યા બાદ ચિતવન થી બસ દ્વારા કાટમાંડુ લઇ જવામાં આવશે. આ પ્રવાસ 8 થી 10 કલાક નો રહેશે. રાત્રી નિવાસ કાટમાંડુ માં રહેશે.
દિવસ - 5
વહેલી સવારે નાશ્તો કર્યા બાદ પશુપતિનાથ મંદિર દર્શન કરવાના રહેશે. બપોરે જમ્યા બાદ કાટમાંડુ સાઈટ સીન માટે લઇ જવામાં આવશે. રાત્રી નિવાસ કાટમાંડુ માં રહેશે.
દિવસ - 6
વહેલી સવારે નાશ્તો કર્યા બાદ જે પણ યાત્રી ઓ ને મોઉન્ટેન ફ્લાઈટ જવાની ઇરછા હોય તે સ્વખર્ચે જય શકે છે. બપોરે જમ્યા પછી યાત્રી ઓ કાટમાંડુ માર્કેટ શોપિંગ માટે જય શકે છે. રાત્રે જમ્યા પછી યાત્રી ઓ કાટમાંડુ માં પ્રખ્યાત કસીનો જોવા જઈ શકે છે, રાત્રી નિવાસ કાટમાંડુ માં રહેશે.
દિવસ - 7
વહેલી સવારે 7:00 વાગે નાશ્તો કર્યા બાદ બસ દ્વારા કાટમાંડુ થી પોખરા લઇ જવામાં આવશે. રસ્તા માં મનોકામના મંદિર ના દર્શન માટે જવાનું રહેશે જેમાં રોપેવે નો ખર્ચ યાત્રી ઓ નો પોતાનો રહેશે. રાત્રી નિવાસ પોખરા માં રહેશે.
દિવસ - 8
વહેલી સવારે 7:00 વાગે નાશ્તો કર્યા બાદ જીપ દ્વારા મુક્તિનાથ લઇ જવામાં આવશે. રાત્રી નિવાસ જેમ્સન માં રહેશે.
દિવસ - 9
વહેલી સવારે 7:00 વાગે જીપ દ્વારા મુક્તિનાથ મંદિર દર્શન માટે લઇ જવામાં આવશે. દર્શન કર્યા બાદ નાશ્તો કરી જીપ દ્વારા પોખરા લઇ જવામાં આવશે. રાત્રી નિવાસ પોખરા માં રહેશે.
દિવસ - 10
વહેલી સવારે નાશ્તો કર્યા બાદ પોખરા સાઈટ સીન માટે લઇ જવામાં આવશે. બપોરે જમ્યા બાદ યાત્રીઓ પોખરા માર્કેટ શોપિંગ માટે જઈ શકે છે. રાત્રી નિવાસ પોખરા માં રહેશે.
દિવસ - 11
વહેલી સવારે નાશ્તો કર્યા બાદ પોખરા થી બસ દ્વારા સોનાવલી બોર્ડર લઇ જવામાં આવશે. રાત્રી નિવાસ સોનાવલી બોર્ડર માં રહેશે.
દિવસ - 12
વહેલી સવારે નાશ્તો કર્યા બાદ સોનાવલી બોર્ડર થી બસ દ્વારા ગોરખપુર રેલવે સ્ટેશન લઇ જવામાં આવશે. આ સાથે યાત્રા ની પુર્ણાહુતી થાય છે.
યાત્રા માં ટ્રેન સફર માં કોઈપણ જાતની સર્વિસ રહેશે નહિ.
યાત્રા માટે બુકિંગ 120 દિવસ પહેલા કરાવવાની રહેશે.
યાત્રા ની બુકિંગ માટે 50% રકમ પહેલા અને બાકીની રકમ યાત્રા ના 30 દિવસ પહેલા જમા કરાવવાની રહેશે.
કેન્સલેશન ચાર્જ - (ટિકિટ બુકિંગ કર્યા પછી - 25%) / (30 દિવસ બાકી રહેતા - 50%) / (યાત્રા આરંભ થવાના એક અઠવાડિયું બાકી રહેતા - 100%)
5 વર્ષથી નાના બાળકો નો ખર્ચ લેવામાં આવશે નહિ , પરંતુ જો ટ્રેન કે બસમાં જગ્યા જોયતી હોય તો વ્યવહારિક રીતે જે પણ ખર્ચ હશે તે લેવામાં આવશે.
ગરમ કપડાં , શૌલ, ટોર્ચ, દવાઓ તદ્ઉપરાંત પ્રવાસીઓ ને જોતી અગત્યની વસ્તુ યાદ કરીને લાવવા વિનંતી.
સ્ટેશન પરની હમાલી, રીક્ષા, જીપ, એન્ટ્રી ફી, ઘોડા, ડોલી, રોપવે, ગરમ પાણી અને અન્ય બીજા કોઈ પણ ખર્ચ નો આ યાત્રા ખર્ચ માં સમાવેશ નથી.
હોટેલ ના એક રૂમ માં ઓછામાં ઓછા બે વ્યક્તિનો સમાવેશ કરવામાં આવશે.
સંચાલકોએ જણાવેલ રોટેશન પદ્ધતિ પ્રમાણે બેસવાનું રહેશે, બસ ની સુવિધા 2x2 સિટ્ટીન્ગ મુજબ રહેશે.
અકસ્માત, ચોરી, શારીરિક ઈજા તથા માલસામાન જવાબદારી યાત્રીઓ ની પોતાની રહેશે.
રાત્રે જમતી વખતે પછી ના દિવસ નો કાર્યક્રમ જણાવવામાં આવશે.
હોટલ તથા સહયાત્રીઓ ના મોબાઈલ નંબર સાથે રાખવા વિનંતી.
અમારી ગુજરાતી રસોઈ દ્વારા - નાસ્તો એક વખત, ચા - કોફી બે વખત, જમવાનું બે વખત બુફે પદ્ધતિ દ્વારા અનુકૂળતા અને સમય મુજબ આપવામાં આવશે.
યાત્રા દરમિયાન સહયાત્રી તથા કાર્યકર્તાઓ સાથે હળી મળી રહેવા વિનંતી.
સંજોગો અનુસાર કાર્યક્રમ માં કોઈ પણ ફેરફાર કરવાનો હક્ક સંચાલકો ને આધીન છે.